નવસારી: અમદાવાદમાં પ્લેન ક્રેશ ઘટનામાં તેમાં નવસારી પાલિકાના પૂર્વ કર્મચારી જયંતિભાઈ પટેલની દીકરી મેડિકલમાં પી.જી.નો અભ્યાસ કરી સી.આર.સી જિગ્ના જયંતિભાઈ પટેલ બી.જે મેડિકલ કોલેજમાં ફરજ બજાવી રહી હતી. તેમનો પણ સમાવેશ થાય છે. જયંતિભાઈએ જણાવ્યું કે, મારી દીકરી જિગ્ના પટેલ એક વર્ષ બી.જે.મેડીકલ કોલેજમાં સી.આર.સી એટલે કે જ્યાં અભ્યાસ કર્યો હોય ત્યાં એક વર્ષ સેવા આપવાની અને હાલ જિગ્ના ફરજ બજાવે છે.

રોજની જેમ 12 જૂનના રોજ બપોરે દોઢથી પોણા બે વાગ્યાના સુમારે ફોન કર્યો અને કહ્યું બેટા જમી લીધું કે..તો દીકરી તેણે એકદમ ગભરાઈને જવાબ આપ્યો કે, ના…પિતાએ કહ્યું કે કેમ…તો તેણે એકી શ્વાસે જવાબ આપ્યો કે, બપોરે 1 વાગ્યા બાદ હોસ્પિટલનું કામ પૂર્ણ કર્યું અને ભૂખ લાગી, દોઢ વાગ્યો હશે પણ ગરમી વધુ હોય માત્ર 500 મીટર આવેલ કેન્ટીનમાં જમવા માટે આળશ ચડી અને જમવા ન ગઈ અને 15 મિનિટ બાદ વાત મળી કે જે મેશમાં જમવા જવાની હતી. તેના ઉપર વિમાન ક્રેશ થયું છે.

મુસાફરો અને મેશમાં જમતા હતા તેવા ઘણા તબીબો ગાયબ છે અને કદાચ મોત થયું હશે. આ વાત કરતા જિગ્ના રડી પડી અને જણાવ્યું કે, જે અંકલ મને જમવાનું ટિફિન આપવા આવતા તેમનું આ દુર્ઘટનામાં મોત થયું અને રસોડામાં કામ કરતા ત્રણ માસી પણ આ ઘટનામાં મૃત્યું ગયા છે. જો…હું ..જમવા ગઈ હોત…તો..મારું શું થાત…તેમ જણાવી પાછી રડી પડી હતી. જયંતિભાઈએ આ વાત કરી ત્યારે ભાવુક મન તથા ભિની આંખે ભગવાનનો આભાર માન્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here