અંકલેશ્વર: અંકલેશ્વર વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના અવારનવાર દેખાવ થતાં આસપાસના ખેડૂત વર્ગમાં ભયનું માહોલ વ્યાપી ગયો છે.
Decision News ને મળતી વિગતો મુજબ ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં દીપડાનો આંટાફેરા કરતો વિડીયો આજે સામેથી સામે આવ્યો છે, જે સોશ્યલ મીડિયામાં ઝડપી રીતે વાયરલ થયો છે. આ અગાઉ વાલિયા ગામની સીમમાં પણ દીપડાની હાજરી નોંધાઈ હતી.
સોડગામ વિસ્તારમાં પણ તેની ચપેટમાં આવતા ખેતમજૂરો અને ખેડૂતો આતંક અનુભવી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ હવે ખેતરમાં કામ કરવાં જતાં પણ ગભરાઈ રહ્યાં છે.વન વિભાગને આ મામલે તાત્કાલિક પગલાં લઈ પાંજરું ગોઠવી દીપડાને પકડી લેવી જોઇએ એવી સ્થાનિક લોકોમાં માગ ઉઠી રહી છે.

