અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. જેના બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપાશે. હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની માહિતી મીડિયાને આપી.

તો બીજી તરફ, CM ભુપેન્દ્ર પટેલ સિવિલ જવા રવાના થયા છે. રાજકોટમાં અંતિમવિધિ કરાશે.12 જૂને અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની. જેના શિકાર થયેલા હતભાગીઓમાંથી એક નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી. 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું.

વિજય રૂપાણીના પરિવાર સાથે પ્રધાનમંત્રી મોદીએ અંજલિબેન સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પણ પાઠવી હતી. હાલમાં રૂપાણી સાહેબના પરિજનો અને ચાહકો અંતિમ સંસ્કારની ક્રિયાની તૈયારીમાં જોડાઈ ગયા છે. ભાજપ હજુ શોકમય જોવા મળી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here