સુરત: વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 31મે નો દિવસ વિશ્વ ટોબેકા નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા બીડી, સીગારેટ, ગુટખા વગેરેની હોળી કરવામાં આવી હતી.ગુરુકુલના પ્રભુ સ્વામી સહિતનાઓએ ‘ગુટખાની હોળી’ પ્રગટાવી હતી. પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું.દુર્વ્યસન એટલે એવી આદત કે જે આપણને ધીમે ધીમે અંદરથી ખોખલું કરી નાખે છે.
તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ, ડ્રગ્સ આ બધાં માણસના શરીર અને જીવન માટે ઝેર સમાન છે. રોગ અને શત્રુને ઉગતા ડામવા જોઈએ. આજે માણસ શત્રુને ડામવા પ્રયત્ન કરે છે જ્યારે રોગને જાણવા છતાં જગાડવા પ્રયત્ન કરી રહ્યો છે.સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા છે આશ્રિતોએ નિર્વ્યસની જીવન જીવવાની. ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારતી વખતે જ 5 પ્રતિજ્ઞા લેવાની હોય છે. જેમાં દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર અને વટાળ પ્રવૃત્તિથી દૂર રહેવું.
ગુરૂકુળ દ્વારા 8 હજાર લોકોને વ્યસન મુક્ત કરાયા.વિશ્વ હેલ્થી ઓર્ગેનાઈઝેશન WHO અનુસાર દર વર્ષે લગભગ 80 લાખ લોકો તમાકુ સંબંધિત બીમારીઓના લીધે મૃત્યુ પામે છે. ગુજરાતમાં દર વર્ષે 60 લાખ લોકો મોઢાના કેન્સરની તપાસ કરાવે છે. એમાંથી 33 હજાર લોકોને મોઢાનું કેન્સર ડિટેક્ટ થાય છે. સુરતમાં દર વર્ષે કરોડો રૂપિયાના માવા, પાન-મસાલા ખવાય છે. ગુરુકુલ દ્વારા ચાલતા વ્યસન મુક્તિ અભિયાન દરમ્યાન 1 વર્ષમાં 8 હજારથી વધારે લોકોએ તમાકુ, ગુટકા, સીગારેટ સહિતના વ્યસનો છોડયા હતા.

