દાહોદઃ થોડા વખત પહેલા દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળામાં ફૂલ જેવી બાળકીને પીંખી નાંખનાર હવસખોર બળાત્કારી હત્યારા આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની સજા અને 2 લાખનો દંડની કોર્ટે સજા ફટકારી દીકરીને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ દાહોદમાં વિદ્યાર્થિની સાથે બળાત્કારનો પ્રયાસ અને હત્યાના કેસમાં સામેલ આચાર્ય ગોવિંદ નટને કોર્ટે સજા ફટકારી છે. આરોપીના વકીલે જણાવ્યું કે કોર્ટે POCSO અને હત્યાના કેસને નકાર્યો છે. વકીલે કહ્યુ કે કોર્ટે ગંભીર બેદરકારી માટે બીએનએસની કલમ 105(2) હેઠળ સજા ફટકારી છે.
દાહોદના આ ચકચારી કેસમાં પોલીસની તપાસ અને ચાર્જશીટ સામે સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસની તપાસ અને ચાર્જશીટમાં POCSO અને હત્યાની કલમનો ઉલ્લેખ હોવાં છતાં કોર્ટમાં સાબિત ન કરવી શકવાને કારણે આરોપીને ઓછી સજા મળી છે. કોર્ટે આરોપીને ગંભીર બેદરકારીને કારણે છ વર્ષની બાળકીનું મોત થયું હોવાના મુદ્દે સજા ફટકારી છે.

