અંકલેશ્વર: અંકલેશ્વરના સુરવાડી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે “વન કવચ” નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અંકલેશ્વર રેન્જના સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે વન સંરક્ષક આનંદકુમાર અને નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જુના સુરવાડી ગામમાં ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૦૩ હેકટર વિસ્તારમાં નવ નિર્મિત વન કવચ, સુરવાડી તથા એક રમણીય સહેલાણીય સ્થળનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,

વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આગેવાનોએ સમગ્ર પરીસરમાં ભ્રમણ કરીને સુવિધાઓની ચકાસણી કરી હતી.