ભરૂચ: ભરૂચના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માર્કેટયાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.40) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. આજે સવારના સમયે ઘરમાં ચા બનાવાની હોવાથી દુધ લેવા માટે ગયા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર ત્યાંથી પરત ફરતાં દરમ્યાન રસિક કુમારસિંગ વસાવાએ કોઇ અગમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દિક મંગલીયાને માથાના ભાગે મારતા લોહીલુહાણ થતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા.સ્થાનિકોએ ઇજાગ્રસ્તને 108 એમબ્યુલન્સ સેવા દ્વારા નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં નેત્રંગ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ મામલામાં પોલીસે હત્યારા રસિક વસાવાનેગણતરીના સમયમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

