કપરાડા: 95 ટકા આદિવાસી લોકોની વસ્તી ધરાવતા કપરાડામાં તાલુકામાં એક પછી એક આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ફરી એક પ્રાથમિક તબક્કે આત્મહત્યા કર્યાનો લાગતો બનાવ માંડવા ગામમાથી બહાર આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના માંડવા ગામના કસ્ટુનિયા ફળિયા કોઈ અજાણ્યા પુરુષ ઈસમે કોઈ અગમ્ય કારણસર ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાઈ મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી લાશની હાલત ખૂબ જ ખરાબ અવસ્થામાં જોઈ શકાય છે

હાલમાં પણ લાશની ઓળખાણ થયેલ નથી લાશના વાલી વારસની તપાસ કરી જેના વાલી વારસ મળી આવેતો કપરાડા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા વિનંતી છે. જો લાશની ઓળખ થાય તો 1.પોલીસ ઇન્સ્પેકટર. સુરજસિંગ વસાવા મો.નં.9427873217 2.PSI એલ.એસ.પટેલ મો 8758007991 પર સંપર્ક કરી કબજો મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.