ભરૂચ: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે તા: 6 ફેબ્રુઆરી-2025 નાં રોજ 67 મો દિક્ષાત સમારોહ યોજાયો. જેમાં સેંટ સ્ટીફન ઇન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, આણંદ ખાતે શૈક્ષણિક વર્ષ: 2022-2024 એમ.એસ.સી.(આઈ.ટી.)માં અભ્યાસ કરતા નિરવકુમારએ સિદ્ધિ પ્રાપ્ત કરી.
Decision News ને મળેલી માહિતી મુજબ નિરવકુમાર મનિષભાઈ વસાવાને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને તેમણે માતાશ્રી રસીલાબેન, પિતાશ્રી મનિષભાઈ, કુટુંબીજનો, શાળા-કોલેજ તેમજ સમસ્ત આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.
તમારી અસાધારણ સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન સરદાર પટેલ યુનિવર્સિટી કક્ષાએ તમારું સમર્પણ, સખત મહેનત અને દ્રઢતાનું ખરેખર ફળ મળ્યું છે આ સ્મૃતિ ચિન્હ માત્ર તમારી શૈક્ષણિક શ્રેષ્ઠતાનું જ નહીં પરંતુ તમે દરેક પ્રયત્નો માટે લાવેલા જુસ્સા અને પ્રતિબદ્ધતાનું પણ પ્રતિક છે. આ સિદ્ધિ તમને તમારી ભાવિ સફરમાં વધુ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પ્રેરણા આપે.

