ધરમપુર: આજરોજ ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે DYSP શ્રી A.K VARMA સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર તાલુકાના પી.આઈ શ્રી ભોયા સાહેબ પીએસઆઇ શ્રી પ્રજાપતિ સાહેબ અને મોટી સંખ્યામાં ધરમપુર તાલુકાના વેપારી વર્ગ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા

Decision News ને મળેલી માહિતી મુજબ લોક દરબારમાં હાજર રહેલ લોકોએ ધરમપુર ની સમસ્યાઓનું નિરાકરણ અંગેની વાત કરી જ્યાં મારાં દ્વારા ધરમપુર તાલુકામાં જંગલ વિસ્તારમાં લાઇસન્સ અંગેના કેમ્પ કરવામાં આવે જેથી ધરમપુર તાલુકાના યુવાનો દંડનો ભોગ ન બને અને ધરમપુર તાલુકા પંચાયતની સામે વારંવાર અકસ્માતો થતા હોય જ્યાં બમ્પ મૂકવા અંગેની વાત કરવામાં આવી હતી. કોલેજ રોડ પર વધારે અકસ્માતની સંભાવના હોવાથી ત્યાં GRD મૂકવાની વાત કરવામાં આવી અને નાતાલ નો પર્વ હોય તો જ્યાં જ્યાં ઉજવણી થાય છે આ તમામ જગ્યાએ પરમિશન આપવામાં આવેની વાત કરવામાં આવી હતી.

DYSP શ્રી દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને કોઈ પણ ફ્રોડ કંપની ગામડે આવતી હોય તો તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મોબાઇલમાં આવેલ કોઈપણ અજાણી લિંક ખોલવી નહીં અને એક ના ડબલ કરવા વાળા લોકોની સ્કીમમાં ભોળવાઈ જવું નહીં. બીજી અનેક જરૂરી બાબતોનું માર્ગદર્શન PI શ્રી ભોયા સાહેબ અને PSI શ્રી પ્રજાપતિ સાહેબ દ્વારા આપવામાં આવ્યું