ખાનપુર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, અનંત પટેલ અને ગુલાબસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામમાં બંધારણ દિવસની હજારો લોકોની ઉજવણી કરવામા આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામે 26 મી નવેમ્બર બંધારણ અધિકાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ગુલાબસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહી પ્રસંગમાં હાજર રહેલાં લોકોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા એટ્રોસીટી એક્ટ અને આદિવાસી દલિત સમાજને લઇ કરેલી ટિપ્પણી અંગે યોગ્ય કાર્યવાહી ની માંગ કરી હતી.જો કાર્યવાહી ન થાય તો આવનારી ૬ ડિસેમ્બર ના રોજ સૌ ભેગા મળી મહીસાગર કલેક્ટર કચેરી ઘેરવાની ઘોષણા કરવામાં આવી. આદિવાસી સમાજના વર્ષો જુના પડતર પ્રશ્નો જળ જંગલ જમીન પરના તથા સંવૈધાનિક અધિકારો માટે એક થવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ખુબ મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો માતા બહેનો જોડાયા.