ખેરગામ: ગતરોજ ખેરગામની રૂઝવણી ગ્રામ પંચાયત ના સંચાલકોએ ગામમાં કેટલાક વિકાસ કામો કાગળ પર બતાવી તે કામો ના નાણા મંજૂર કરાવી સરકારી નાણા ચાઉં કરી લીધા હોવાના આક્ષેપ સાથે ગામના આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરતા મામલો સમગ્ર પંથકમાં વાતોનો વંટોળ બન્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રૂઝવણી ગામના રહીશ અને તાલુકા પંચાયતના માજી સદસ્ય જયેશભાઈ તેમજ રૂઝવણી ગામના ત્રણ માજી સરપંચો ખાલપ ભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈ સહિત અન્ય આગેવાનોએ વર્તમાન ગ્રામ પંચાયત સંચાલકો સામે સરકારી નાણાં ઉચાપાત કરી છે એમ ફરિયાદ પાઈ છે. ફરિયાદમાં મુજબ..
2020- 21 તેમજ 2023-24 ની સાલમાં 15 માં નાણા પંચ અંતર્ગત ગ્રામ પંચાયત સંચાલકોએ મનસ્વી રીતે તાલુકા પંચાયતમાં વિકાસ કામોની દરખાસ્ત કરી તે કામો કર્યા વગર જ બીલના વાઉચરો મૂકી બિલની રકમ ખોટી રીતે મંજુર કરાવી સરકારી નાણા ગપચાવી સરકાર સાથે છેતરપિંડી કરી છે.
રૂઝવણી ઝાડી ફળિયામાં ભીલદેવી મંદિર પાસે રૂપિયા 72 હજાર ના ખર્ચે બોર અને હેડપંપ અને રૂઝવણી ગામના મના ફળિયામાં વિનોદભાઈ મંગાભાઈના ઘર પાસે રૂપિયા 88 000 ના ખર્ચે બોર અને મોટરનું કામ તેમજ રૂઝવણી ઝાડી ફળિયાના સીમાડા પર દેવના મંદિર પાસે કોતર પર 1, 58,000 રૂપિયાના ખર્ચે પ્રોટેકશન વોલનું કામ પૂર્ણ કર્યા હોવાનું બતાવી તમામ કામની દરખાસ્ત કરી ખોટા બીલના વાવચરો મુકી દિલ્હી રકમ મંજૂર કરાવી મેળવી સરકારી નાણાંની ઉચાપત કર્યો છે.
ફરિયાદમાં ફરિયાદીએ આ ત્રણેય કામો ગામમાં થયા જ ન હોવાનું સ્પષ્ટ પણે જણાવ્યું છે ત્યારે ગામના જાગૃત લોકોએ ફરિયાદ કરતા ગ્રામ પંચાયતના સરપંચ ,તલાટી અને સભ્યોની સાથે સાથે ગામડાઓમાં પૂર્ણ થયેલ વિકાસ કામો ના નિરીક્ષણ કરવા આવતા તાલુકા સ્તરના કર્મચારી સામે પણ સામે સણ શણતા પ્રશ્નો ઉભા થયા છે.
ખેરગામ તાલુકા વિકાસ અધિકારી ફરિયાદ આપવા આવેલ તમામ ફરિયાદીઓને ધ્યાનથી સાંભળ્યા હતા અને ફરિયાદીઓ ની સામે ગામમાં આવીને તપાસ કરવાની બાહેધરી આપી હતી તપાસમાં જે પણ કસૂરવાર જણાઈ આવશે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદીઓને બાંહેધરી આપી હતી હવે આ પ્રકરણમાં કેટલા દિવસે તપાસ થશે અને કેવા પગલાં ભરવામાં આવશે એ આવનારો સમય બતાવશે

