કપરાડા: ગતરોજ કપરાડાના ચાવશાળાના પૂર્વ સરપંચની પ્રથમ પત્નીના દીકરાએ બીજી પત્ની સાથે થયેલી નજીવી બાબતની બોલાચાલી થતાં આક્રોશમાં આવી જઈ દાતરડાંના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના ચાવશાળા ગામમાં પૂર્વ સરપંચ કાસુભાઈ પાલવા તેમની 2 પત્ની અને પરિવાર સાથે 3 ગાળાના મકાનમાં રહે છે. ત્યારે ગતરોજ કાસુભાઈની પહેલી પત્નીના દીકરા ભગુ પાલવા અને કાસુભાઈની બીજી પત્ની સુકારીબેન વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ ત્યારે પહેલી પત્નીના દીકરા ભગુ પાલવા આક્રોશમાં આવીને 45 વર્ષીય સાવકી માતા સુકરીબેન પાલવાને દાંતરડાના ઘા ઝીંકી હત્યા કરી હતી. બાદમાં પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશને PM માટે મોકલી દીધી હતી.
કપરાડા પોલીસ દ્વારા પરિવારના સભ્યો મળીને તેમના નિવેદન લેવામાં આવ્યા છે અને તે મુજબ ઘટનાની આગળની તપાસ કરવામાં આવી રહી છે. આવી ઘટના માનવતા પર કંલક સમાન છે, કલયુગી દીકરાઓ જીવનમાં ‘માં’ નું સ્થાન ભૂલી ચુક્યા છે.

