પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: થોડા દિવસે પહેલા નવસારીના અચાનક ગુમ થઇ ગયેલા યુવકની લાશ વડોદરા શહેર નજીકના અનગઢ-ગામ મહીસાગર નદીમાંથી મળી આવી હતી.જેને લઈને નવસારી પોલીસે આત્મહત્યા કે હત્યા થઇ છે તે વિષે તપાસનો દોર વધુ સક્રિય બનાવ્યો છે

Decision news ને મળેલી માહિતી મુજબ નવસારી કડીયાવાડ નવા મહોલ્લામાં રહેતો રર વર્ષનો નેહલ રમેશભાઈ પટેલ મોબાઇલ કંપનીમાં નોકરી કરતો હતો. અને 15 મી એ તે ઘરેથી કોઇને કશું કહ્યા વિના નીકળી ગયો હતો. જે અંગે તેના પરિવારે નવસારી પોલીસને જાણ કરી હતી. નવસારી પોલીસની તપાસમાં નેહલનું લોકેશન વડોદરા નજીક વાસદ બ્રિજ નજીક હોવાનું જાણવા મળ્યું હતું.

વાસદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વાસદ પોલીસને તેની બાઇક વાસદ મહિસાગર બ્રિજ પરથી બિનવારસી હાલતમાં મળી હતી.જ્યારે આજે બપોરે તેની લાશ અનગઢ ગામ મહીસાગર નદીમાંથી મળી આવી હતી. તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here