સેલવાસ: છેલ્લાં કેટલાક સમયથી સેલવાસના આદિવાસી સમાજના એક પરિવારની જમીન ITI બનાવવાના નામે સંપાદન કરી ખાનવેલ વહીવટીતંત્ર દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે જે પરિવારની મુલાકાત ગતરોજ કોંગ્રેસના આગેવાન પભુ ટોકિયા દ્વારા કરવામાં આવી હતી .

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજના જમીનમાં ખાનવેલ વિસ્તારમાં આઈ.ટી.આઈ બનાવવા માટે, પ્રશાસન દ્વારા જમીન સંપાદન કરવાના મામલે ફરીયાદ મળતા જનતાના સમસ્યાઓને સાંભળવા તેમજ એનું નિરાકરણ કરવા માટે ગતરોજ કોંગ્રેસ પાર્ટી જનતાના દ્વાર કાર્યક્રમ તહેત ન્યાય અપાવવા માટે ખાનવેલ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે પિડીત પરીવાર સાથે મુલાકાત લઈ આ મામલે પરીવારની વિસ્તાર પુર્વક વાત સાંભળી હતી.

ત્યાર બાદ આ જમીન મામલે ખાનવેલ પ્રશાસનિક ઓથોરિટી સાથે પણ મુલાકાત લઈ એમનો પક્ષ પણ સાંભળી સમજવાની કોશિશ કરી હતી. આ જમીન બાબતે આવતા 2/3 દિવસ માં નિષ્પક્ષ રીતે વાત મુકીશું. કોંગ્રેસ પાર્ટી જનતાના દ્વાર કાર્યક્રમમાં મારી સાથે કોગ્રેસ પાર્ટીના વરિષ્ઠ સાથી મહેશભાઈ પટેલ,અજીતભાઈ માહલા અને અન્ય સાથીઓ ઉપસ્થિત હતાં.