ઉમરગામ: વર્તમાન સમયમાં ઉમરગામના સંજાણમાં સ્વ.સંદીપભાઈ ઘોડીની દાદરા નગર હવેલી ખાતે થયેલી કરપીણ હત્યાનો મુદ્દો હાલમાં વલસાડ જિલ્લામાં પ્રાઈમ બન્યો છે ત્યારે આજે વલસાડના નવા ચુંટાયેલા સાસંદ ધવલ પટેલે આજે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ધવલ પટેલ સ્વ.સંદીપભાઈ ઘોડીના પરિવાર આજે મળીને સાંત્વના આપી હતી અને આરોપીઓને સજા અને મૃતકના પરિવારને ન્યાય મેળવવામાં સાથ આપવાની વાત કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે ગુજરાત ન્યાયની ભૂમિ છે, સંજાણના દીકરાને અવશ્ય ન્યાય અપાવીશું !

આજે સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિલિપભાઈ ભંડારી, તાલુકા મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ, યુવા મોરચાના શ્રી સ્નેહિલભાઈ, શ્રી મયંકભાઈ સહિત આગેવાનોએ સંજાણ ખાતે સ્વ. સંદીપભાઈની ચેતનાને વંદન કરીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.