ક્રિકેટ: ક્રિકેટર રાહુલ દ્રવિડને બેંગ્લોરની યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પણ રાહુલ દ્રવિડે સભર પરત કરી દીધી. માત્ર તેણે ડિગ્રી પાછી આપી એટલું જ નહીં પણ એક અદ્ભુત પ્રવચન પણ આપ્યું..

તેમણે કહ્યું, “મારી પત્ની એક ડૉક્ટર છે, તેણે આ ડિગ્રી મેળવવા માટે અગણિત, નિદ્રાહીન રાતો અને દિવસો વિતાવ્યા છે.” મારી માતા આર્ટસના પ્રોફેસર છે, તેમણે ધૈર્ય સાથે તેમની ડિગ્રી માટે લાંબાં, પચાસ વર્ષની રાહ જોઈ છે.
મેં ક્રિકેટ રમવા માટે સખત મહેનત કરી છે પણ મેં એટલો અભ્યાસ કર્યો નથી, તો હું આ ડિગ્રી કેવી રીતે સ્વીકારું?” 1952 માં ઈઝરાયેલ સરકાર દ્વારા આઈન્સ્ટાઈનને વડા પ્રધાનપદ ઓફર કરવામાં આવ્યું હતું. આઈન્સ્ટાઈને નમ્રતાપૂર્વક કહ્યું, “હું ભૌતિકશાસ્ત્રનો એક બિનઅનુભવી વિદ્યાર્થી છું. હું રાજ્યના શાસન અને વહીવટ વિશે શું સમજું !!!”

ગ્રિગોરી પેરેલમેન, રશિયન વિશ્વ-વિખ્યાત ગણિતશાસ્ત્રી, તેમણે 2006 માં ફિલ્ડ મેડલ અને મોટી રકમ પરત કરી, જેને ગણિતના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારની સમકક્ષ તરીકે ગણવામાં આવે છે. તેમણે કહ્યું; “અમારા પરિવારમાં ગરીબીથી ચાલતું બાળપણ હતું. માતાની કમાણી બચાવવા માટે અમારે ખૂબ જ ગણતરીપૂર્વક વ્યવસ્થા કરવી પડી. કદાચ, આ જ કારણ છે કે હું બાળપણથી જ ગણિતમાં થોડું કૌશલ્ય વિકસાવી શક્યો છું. મારા જીવનમાં ગરીબીનો એ તબક્કો હવે રહ્યો નથી, આટલા બધા પૈસાનું શું કરું?”

આ અત્યંત કુશળ લોકોની નમ્રતા જોઈને આપણું મસ્તક આદરથી નમી જાય છે. આ નમ્ર અને ડાઉન ટુ અર્થ લોકો આપણને વારંવાર યાદ કરાવે છે કે નમ્ર હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ સમાજની નજરમાં ઓછી પ્રતિષ્ઠા પામે છે, બલ્કે તેઓ જ પ્રતિષ્ઠાના સાચા હકદાર છે. આ મહાન લોકોની નમ્રતા અંગે કહી શકાય કે “સ્કાય ઈઝ ધ લિમિટ.”