નર્મદા: આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના તાલુકામાં કોલેજ સુધીનું શિક્ષણ મળી રહે એ હેતુંથી સરકારી વિનયન અને વાણિજય કોલેજની ગરૂડેશ્વર, તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે શરૂઆત કરવામાં આવી છે. આ કોલેજની શરૂઆત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુબજ આ કોલેજના નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી હાલ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કામચલાઉ ધોરણે સરકારી વીર સુખદેવ પ્રાથમિક શાળા, એકતાનગર (કેવડીયા) તા.ગરૂડેશ્વર જિ.નર્મદામાં ખાતે કાર્યરત છે.

કોલેજમાં ચાલતા અભ્યાસ ક્રમો.

મહત્વનું છે કે, આ કોલેજમાં સ્નાતક કક્ષાએ મુખ્ય અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે, સામાન્યપ્રવાહ(B.A.)માં ગુજરાતી, હિન્દી, સમાજશાસ્ત્ર, ઇતિહાસ ,અર્થશાસ્ત્ર અને વાણિજય પ્રવાહ(B.COM)ના વિષયોની શરૂઆત કરવામાં આવી છે. તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવીને આ કૉલેજમાં શિક્ષણનો લાભ લે, એ હેતુથી જાણ કરવામાં આવે છે.

નોંધ: વિદ્યાર્થિઓએ એડમિશન મેળવવાં Gcas પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તા. 04/07/2024થી તા. 06/07/2024 સુધી Gcas પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી આ સંસ્થાનો લાભ મેળવી શકે છે.