સોનગઢ: ગતરોજ તાપી જિલ્લામાં સોનગઢ વિસ્તારમાં વન્યજીવનો શિકાર કરી તેના અવયવ વેચવાનું ષડયંત્ર ઝડપાયું હોવાની માહિતી મળી હતી. જેમાં સોનગઢ વનવિભાગે મલંગદેવ રેન્જમાંથી દીપડાના અવયવ સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ સોનગઢ વનવિભાગે મલંગદેવ રેન્જમાંથી દીપડાના અવયવ કાઢી વેચનારા ચાર આરોપીને ઝડપી લીધા હતા. ચારેય આરોપીઓ સામે દીપડાનો શિકાર કરી અવયવ ખરીદ વેચાણ કરવાનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યા છે.

વનવિભાગને આરોપી પાસેથી બે પગ કબ્જે કરી અન્ય અવયવની શોધખોળ તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી તથા શિકારની મોડસઓપરેન્ડીન અને અન્ય અવયવ ક્યાં છે અને કોને વેચાણ કર્યું એ દિશામાં તપાસ હાથ ધરી હતી.