ડેડીયાપાડા: આજરોજ 11;30 વાગ્યાની આસપાસ ડેડીયાપાડા તાલુકાના દાભવણ ગામમાં ભારે વાવાઝોડા અને વરસાદ સાથે આકસ્મિક વીજળી પડતાં બે આદિવાસી બાળકોને ઘટના સ્થળ જ મોત થયાના નર્મદાથી બ્રેકિંગ આવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના દાભવણ ગામમાં 11:30 વાગ્યાની આજુબાજુ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે આકસ્મિક વીજળી પડતાં બે આદિવાસી બાળકોને ઘટના સ્થળ જ મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આજે સવારે વીજ પડતા દિલસાનભાઈ જેન્તીભાઈ વસાવા ઉંમર.૧૪, તેમજ (૨) નૈતિકભાઇ રાજેશભાઈ વસાવા ઉંમર .૧૧ નું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું.
દાભવણ ગામમાં 11:30 વાગ્યા બાજુ જ્યારે વીજળી પડી ત્યારે બે આદિવાસી બાળકો સિવાય પડતાં 11 વર્ષના વસાવા નીલમબેન જેન્તીભાઈ અને બીજા 11 વર્ષના અમિતભાઈ ગણપતભાઈને ઇજા પોહચી હતી. હાલમાં આ ઘટનાને લઈને શોકનો માહોલ છે.

