હરિયાણા: ગતરોજ હરિયાણામાં મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીની ભાજપની સરકારને ત્રણ અપક્ષોએ ટેકો પાછો ખેંચી લઇને કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરતાં રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
Decision News એ મેળવેલ માહિતી મુજબ રાજ્ય વિધાનસભામાં કુલ સભ્ય સંખ્યા 90 છે, પરંતુ બે ધારાસભ્યોના રાજીનામાને કારણે હાલમાં સભ્ય સંખ્યા 88 છે. ગૃહમાં ભાજપ પાસે 40, કોંગ્રેસ પાસે 30 અને જેજેપીના 10 ધારાસભ્યો છે. હાલમાં ભાજપ સરકારને બીજા બે અપક્ષોનો ટેકો છે. વિપક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં રોહતકમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર સિંહ ગોલેન અને ધરમપાલ ગોંડરે સરકારને ટેકો પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
હુડ્ડાએ જણાવ્યું હતું કે સરકારે રાજીનામું આપવું જોઈએ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ અને ચૂંટણીઓ યોજવી જોઈએ. આવનારા સમયમાં ભાજપન સત્તા બચાવવા લોઢાન ચણા ચાવવા પડશે એ જોવું રસપ્રદ રહેશે.

