વાંસદા: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં આવેલા પટ્રોલ પંપ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં ડાંગ દરબારમાંથી ધરમપુર જઈ રહેલા વઘઈના માનમોડી ગામના કાર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ GJ-21-AH-6395 નંબરની કાર લઇ ધરમપુર જઈ રહેલા વઘઈના માનમોડી ગામના અનિલભાઈ ભીખાભાઈ ગાંવિત વઘઈ ગામે સહયોગ સોસાયટી ભાડાના મકાનમાં રહેતા વેવાઈ પાસે પરિવાર સાથે ડાંગ દરબારમાં જવા માટે માંગીને લઈ ગયા હતા. મોડી રાત્રે 3.30 કલાકે ઘરે પરત થતી વેળા વાંસદાના રવાણીયા ગામના પટ્રોલ પંપની સામે તેમણે કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે કાર અથડાઈ હતી અને તેમણે ગંભીર ઈજા થઇ હતી.
અકસ્માત થતાં જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા 108 ને ફોન કરી ઘાયલ ચાલકને સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો પણ આરોગ્ય કર્મચારીઓએ આવીને જોયું તો કાર ચાલકનું મોત થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ આવી ગઈ હતી. મૃતકના પિતાએ પુત્રએ કાર બેદરકારીથી હંકારી અકસ્માત કર્યો હોવાની પોલીસ ફરિયાદ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

