વાંસદા: હવે તો આદિવાસી વિસ્તારોમાં પણ હત્યા થવા લાગી છે ત્યારે ગતરોજ વાંસદાના મોટીવાલઝરના યુવાન ઇકો કાર લઇ ઉપસળ ગામે લગ્નમાં જવાનું કહી નીકળ્યા બાદ સવારે વણારસીથી તેની લાશ અને કાર મળી આવ્યો કિસ્સો બહાર આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 11 માર્ચ ના રોજ વાંસદાના મોટી વાલઝર ગામના પરેશભાઈ અશોકભાઈ પટેલ GJ-6-VV-4312 નંબરના છોટા હાથી ટેમ્પો લઈને ગામેથી ફળિયાના માણસો ભરીને ઉપસળ ગામે 7.30 કલાકે શંકર રામજીભાઈના દીકરાના લગ્ન પ્રસંગ ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવી રાત્રે 10.30 કલાકે વાલઝર ગામે ફળિયાના માણસો અને ટેમ્પો મુકી રાત્રે 10.45 કલાકે પરેશભાઇની GJ-21-CD-2725 નબરની ઇકો લઇ ઉપસળ ગામમાં લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.

પણ સવારે વણારસી ગામમાં ધનસુખ પટેલના વાડા પાસે આંબાના વૃક્ષ નીચે પરેશની લાશ અને ઇકો ગાડી મજુરોને ધ્યાને આવી હતી અને મજુરો દ્વારા વાંસદા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના પિતા અશોકભાઈ પટેલે આ ઘટનાને લઈને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી હત્યા કે આત્મહત્યાનું કારણ શોધવા ચક્રોગતિમાન કર્યા છે. લોકચર્ચા એવી છે કે એમની હત્યા થઇ છે.