વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના કાવડેજ ગામના ડામર રસ્તાની એક ચોંકાવનારી ઘટનામાં તલાટી કહે છે રસ્તાનું કામ કોણે કર્યું તે મને ખબર નથી ત્યારે આ આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાવડેજના ભિલદેવ ડુંગરે જતા જ આ રસ્તેથી નીકળતા લોકોને આશ્ચર્ય થયું કે આ રોડ પર થોડી મેટલ નાખીને આ રોડનું કામ પૂર્ણ કરી મસ મોટો ભ્રષ્ટાચાર થવાની બુ આવતાં આખો ભાંડો ફુટયો હતો
Decision News ને મળેલી માહિતી મુજબ આ બાબતે સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ રોડ બન્યો ને ગણતરીના દિવસોમાં રસ્તા પર ડામરનું પ્રમાણ સાવ નજીવું રાખવામાં આવ્યું હોવાના કારણે ટૂંકાગાળામાં રસ્તો તૂટવા અને ઉખડવા માંડતા ડામર માર્ગના કામમાં વેઠ ઉતારતા કઈ એજન્સીને કામ સોંપ્યું હતું તેણે ડામર બરાબર ન પાથરીને કામ આટોપી લીધું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાતા આ અંગે તપાસ હાથ ધરતા આશ્ચર્ય ઉભું થયું તલાટી ની જાણ બહાર આ રસ્તો કોણ બનાવી ગયું તે તલાટીને ખબર જ નથી.
જુઓ વિડીયો..
જ્યારે આ રોડ બાબતે પૂછતાં તલાટીએ જણાવ્યું હતું કે ૧૫-માં નાણાં પંચના કામો બાકી છે હજુ કોઈ સુધી કોન્ટ્રાકટરને અમે આપ્યા નથી કાવડેજ ગામે ત્રણ ડામર રસ્તા મંજુર થયા છે જે કામો હજુ કરવાના બાકી છે તેમ જણાવીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો ત્યારે આ રસ્તા બાબતે જાણ કરતા તાલુકાના ઉપરી અધિકારી ઓ પણ તલાટી સામે પગલાં લેવાં લાંબો ઘૂંઘટો તાણતા હોવાથી ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે તપાસ કરવામાં આવે તો મોટાપાયે ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે.

