બેંગ્લોર: લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલમભાઈને જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ) ઈન્ડિયા વતી, વર્ષ 2023માં ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સન્સ ઑફ ઈન્ડિયા (TOYP) પુરસ્કારોમાંથી એક તરીકે પસંદગી થઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ એવોર્ડ વિવિધ ક્ષેત્રોના ન્યાયાધીશોની એક પ્રતિષ્ઠિત પેનલે તમામ નામાંકનોની સમીક્ષા કરી પુરસ્કાર અને પ્રતિભા અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે દક્ષિણ ગુજરાતના ધરમપુરના ખોબા ખાતે ગ્રામ ઉત્થાનના કાર્યોમાં સતત અગ્રેસર રહતા યુવા ગાંધીયન એવા શ્રી નિલમભાઈનું બેંગ્લોર ખાતે JCI એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ ઉટસ્ટેન્ડિંગ યંગ પર્સન્સ ઑફ ઈન્ડિયા (TOYP) પુરસ્કાર મળતાં ધરમપુરમાં આજે જશ્નનો માહોલ છે. અને લોકો નિલમભાઈ અને તેમની લોક મંગલમ્ ટીમને અભિનંદન પાઠવી રહ્યા છે.!! આ એવોર્ડ આપવા બદલ લોક મંગલમ્ પરિવાર JCI ઇન્ડિયાનો આભાર વ્યક્ત કરી રહ્યો છે.

