દાહોદ: દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને મહાત્મા ગાંધી મનરેગા યોજનાના મટીરીયલ્સના કામોની મંજૂરી છેલ્લા 2 ( બે ) વર્ષથી આપવામાં આવી નથી તેને લઈને મંજુરી આપવાની માંગ સાથે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું

જુઓ વિડીયો..

આજરોજ દાહોદ જિલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટી ભારતીય ટ્રાયબલ ટાયગર સેના દ્વારા મહાત્મા ગાંધી મનરેગા યોજનામાં જે 100 દિવસની રોજગારી આપવામાં આવે છે જેમાં મટીરીયલ્સના કામોની મંજૂરી છેલ્લા 2 ( બે ) વર્ષથી આપવામાં આવી નથી અને કયા કારણોસર મજૂરી આપવામાં આવતી નથી તેના વિરોધમાં આજરોજ આવેદનપત્ર પત્ર દાહોદ જિલ્લા વિકાસં અધિકારીને આપવામાં આવ્યું અને મટીરીયલ્સના કામો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવવું જોઈએ.

આ ઉપરાંત લાભાર્થીઓ ને મંજૂરી આપવામાં આવે તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા BTP યુવા મોર્ચા પ્રમુખ મનસુખભીલ કટારા, BTP કાર્યકર્તા ક્રિષ્ના ચારેલ, તથા દાહોદ જિલ્લાના BTP, BTTS ના હોદેદારો, કાર્યકર્તા તથા મનરેગા યોજનામાં કામ કરતા લાભાર્થીઓ દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા