ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના નડગધરી ગામની પ્રાથમિક શાળા સાદડપાડા સ્કૂલમાંથી ગામના સ્થાનિક ભુવા ગનજુભાઈ દ્વારા માટી ખોદી લઈ જઈ થોડા અંતરે આવેલ નદી કિનારે 12 મરઘી, 25 નારિયેળ, 1 બકરાની બલી ચડાવી વિધિ કરીને ઘટના સ્થાનિકો દ્વારા SMC ના સભ્યોશ્રીઓ દ્વારા પ્રકાશમાં લાવવાની ઘટના બની છે.

કલ્પેશ પટેલ જણાવે છે કે અમારા આદિવાસી વિસ્તારમાં આવા અમુક પાંખડી ભુવાઓના કારણે ઘણી વાર અમારા આદિવાસી લોકોએ જીવ પણ ગુમવવાનો વારો આવ્યો છે. ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કોઈક ને ઝેરી જનાવર કરડે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાને બદલે સ્થાનિક ભગતો પાસે લઈ જાય છે અને હાલત ગંભીર થયા બાદ હોસ્પિટલમાં પહોંચાડવાની ઘટનાઓ બને છે અને જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના પણ સામે આવી ચુકી છે.

આવા પાંખડવાદ ફેલાવતા તત્વો પર કાર્યવાહી કરવાની માંગણી SMC સભ્યો દ્વારા કરવામાં આવી છે અને ધરમપુર PSI શ્રી પ્રજાપતિ સાહેબએ રૂબરૂ સ્કૂલની મુલાકાત કરી અને સ્કૂલમાં વિધી ન થઈ હોય સ્કૂલની બહાર થોડા અંતરે નદી કિનારે વિધી થઈ હોવાનો તાગ મેળવ્યો હતો.