કપરાડા: કપરાડા તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની ઓઝરડા ઓઝર ફળિયા પ્રાથમિક શાળામાં સમુહ ભાવના, એકરાગીતા, સ્વચ્છતા, સ્નેહભાવ જેવા ગુણોનો વિકાસ થાય એવા ઉદ્દેશ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ વનભોજન યોજાયું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ઓઝરડા ઓઝર ફળિયા પ્રાથમિક શાળામાં શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને વર્ષના અંતે સામુહિક ભોજન કરવાની પ્રવૃત્તિ સાથે વનમાં વનભોજન યોજવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સમુહ ભાવના, એકરાગીતા, સ્વચ્છતા, સ્નેહભાવ જેવા ગુણોનો વિકાસ થાય એ હતો
આ વનભોજનમાં બાળકોને દાળ, ભાત, શાક, ખમણ, મોહનથાળ અને સલાડ પીરસી ભોજન કરાવ્યું હતું. શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વનભોજનના દાતા હરીશ આર્ટ વાપી અને તેમના ધર્મ પત્ની મીરાબેન હતા જેઓએ બાળકો સાથે વનભોજનની મજા માણી હતી. માંડવા CRC co. હિતેશભાઈ ગાગોડા, માંડવાના કેન્દ્ર શિક્ષક, આચાર્ય રાજેશભાઇ, શીતલભાઈ, મુખ્ય શાળાના આચાર્ય કાંતિભાઈ ગાયકવાડ, ગીરીશભાઈ, ધીરુભાઈ માહલા અને બાળકોના વાલીઓ તથા એસેમસી સદસ્યો પણ વનભોજનમાં જોડાયા હતા. આ વનભોજનનું આયોજન ઓઝરડા ઓઝર ફળિયાના આચાર્ય અમૃતભાઈ પટેલ, હંસાબેન ચૌધરી, તેજશભાઈ પટેલ, મંજુલાબેન ગાવીત અને શાળા પરિવાર દ્વારા સફળ પાર પાડવામાં આવ્યું હતું.

