ડીસીઝન વિશેસ: આજે 26 નવેમ્બર વર્ષ 2008 ભારતના સૌથી મોટા શહેર મુંબઈ પર પાકિસ્તાનથી આવેલા 10 જેટલા આતંકવાદીઓએ આ હુમલો ગોળીબાર, તથા બોબ્મ ફેકીને આતંકવાદી હુમલો કર્યો હતો.જેને આપણો દેશ અને આખું વિશ્વ 26/11 ના નામે ઓળખાય છે.

આ હુમલો દક્ષિણ મુંબઈમાં આવેલ છત્રપતિ શિવાજી ટર્મિનલ, ઓબેરોય હોટેલ, હોટેલ તાજ, લીયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એમ કુલ આઠ વિવિધ જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુંબઈના એક પોર્ટ વિસ્તારના માઝાગાંઉમાં પણ એક વિસ્ફોટ થયો હતો. 26 નવેમ્બર થી 29 નવેમ્બર, 2008 સુધી ચાલેલો આ આતંકવાદી હુમલામાં 164 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 308 જેટલાં ઘાયલ થયા હતા.

28 નવેમ્બરની વહેલી સવારે મુંબઈ પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા તાજ હોટેલની આજુ બાજુ કડક સુરક્ષા ગોઠવી દેવાઇ હતી. બીજે દિવસે, 29 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડસ્ દ્રારા શેષ રહેલા આતંકવાદીઓને ઠાર કરવા ઓપરેશન બ્લેક ટોર્નેડો હાથ ધર્યું. જેના પરીણામ રુપે બધા જ આતંકવાદીઓને મારી નખાયા. હુમલાનો એક માત્ર જીવીત આતંકવાદી અજમલ ક્સાબ દ્વારા જાણવા મળ્યુ હતુ કે આ હુમલો પાકિસ્તાનની ISI ની સહાય દ્વારા કરવામાં આવ્યો હતો. અજમલ ક્સાબ લશ્કર-એ-તોએબા સંગઠનનો સભ્ય હતો. 7 જાન્યુઆરી, 2009ના રોજ પાકિસ્તાનના માહિતી પ્રધાન શેર્રી રેહમાને સ્વીકાર્યુ હતુ કે અજમલ કસાબ પાકિસ્તાનનો નાગરીક છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે સ્વીકાર્યું હતું કે હુમલોનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યુ હતું.