ધરમપુર: આજરોજ ધરમપુર ડેપો મનેજરને ધરમપુરથી મોહનાકાવચાળી ગામે જતી બસનો સમય સવારે બદલાવવા અને કોરોના કાળમાં બંધ કરેલ ધરમપુર તાલુકાની તમામ બસો ફરીથી ચાલુ કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરથી મોહનાકાવચાળી ગામે જતી બસનો સમય સવારે 6:30 કલાકે ત્યાંથી નીકળે છે અને 7: 00 કલાકે ઢાકવળ આવી જાય છે આ બસ વહેલી સવારે નિકળી આવવાના કારણે  શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને તે મુસાફરી માટે ઉપયોગમાં આવી શકતી નથી જેના લીધે તેઓએ ખાનગી વાહનમાં જવાની ફરજ પડે છે. માટે આ બસનો સમય બદલી થોડી મોડી કરવા બાબતે અને સાંજે જતી વખતે મોહનાકાવચાળી સુધી એક પણ બસ ડેપોમાંથી જતી નથી જેના કારણે વિધાર્થીઓને ઘરે જવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. એવા સમયે ગરીબ વિધાર્થીઓ પાસે પૈસાની સગવડ ન હોવાના લીધે એમણે ભણતર છોડવાનો વારો આવ છે માટે વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખી સાંજના સમયે બસ ફાળવવાની અને કોરોના કાળમાં બંધ કરેલ ધરમપુર તાલુકાની તમામ બસો ફરીથી ચાલુ કરવા બાબતે રજુઆત કરાઈ છે અને જો આ બસો તાત્કાલિક ચાલુ કરવામાં ના આવી તો આદિવાસી વિધાર્થીઓના હિતને ધ્યાને રાખી બસ રોકો આંદોલન કરવાની ફરજ પડશે. અને સરકારી બસોનો બહિષ્કાર કરાશે.