વાંસદા: 15મી ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે “ઉમિયા વાંચન કુટીર વાંગણ ” વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર વાંગણ ગામે વિદ્યાર્થી તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી આગળ વધે અને સમાજ માટે ઉપયોગી થાય એ માટે પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ઉમિયા વાંચન કુટીર વાંગણ વાંસદાનું શરૂવાત આજના યુગમાં મોબાઇલનું વળગણ દુર કરી પુસ્તકાલય તરફ વાળવા માટે 15મી ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે ચિત્રકામ સ્પર્ધા અને વધુમાં વધુ પુસ્તપ્રેમીઓ, વાચકમિત્રો, અને વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે ઉમિયા વાંચન કુટીર વાંગણ અને યુનિટી ગ્રુપ વાંગણએ અનોખી પહેલ કરી છે.
આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ અને શાળાના શિક્ષકો, ગામઆગેવાન વિપુલભાઈ તેમજ ગ્રામપંચાયતના સભ્યો યુનિટી ગ્રુપના પ્રમુખ સુનિલભાઈ, મંત્રીશ્રી મુકેશભાઈ, ઉમેશભાઈ, હસમુખભાઇ-તલાટીશ્રી, યુનિટી ગ્રુપના સભ્યો જયેન્દ્રભાઈ, પંકજભાઈ, મિનેશભાઈ, નિલેશભાઈ, મનીષભાઈ, કિરણભાઈ તેમજ શાળાના બાળકો, વાલીઓ અને ગ્રામજનોએ પુસ્તક પ્રદર્શન કાર્યક્રમમાં ખુબ ઉત્સાહભર લાભ લીધો હતો.

