નવીન: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસના નેતાઓના નિવેદનોએ રાજકીય પારો વધારવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નેતા ઉમંગ સિંગારે એ કરોડોના આરાધ્ય દેવ હનુમાનની જાતિ ગણાવી છે. સિંગારે કહ્યું કે તે આદિવાસીઓ જ હતા જે ભગવાન રામને લંકા લાવ્યા હતા. હું કહું છું કે હનુમાન પણ આદિવાસી હતા. ગર્વથી કહો કે અમે આદિવાસી છીએ.

 

જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે એક જનસભાને સંબોધિત કરતાં કોંગ્રેસના ધારાસભ્ય ઉમંગ સિંગારે નિવેદન આપ્યું કે હતું. વાનર સેના ભગવાન શ્રી રામને લંકા લઇ ગઇ ન હતી, પરંતુ આદિવાસીઓ ભગવાન શ્રી રામને લંકા લઇ ગયા હતા. સાથે જ હનુમાનજી આદિવાસી છે. કથાકારોએ મૂંઝવણભર્યું કામ કર્યું છે. સિંગારે કહ્યું કે અત્યારે બજરંગ બલી કર્ણાટકની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ (ભાજપ) હારી ગયા છે. જ્યારે હું સરકાર સામે લડું છું ત્યારે તેઓ કહે છે કે આદિવાસીઓ છે, તેને બંધ કરો. જો તમે મને જેલમાં ન મૂકી શકો, તો કેસ દાખલ કરવામાં આવે છે. હું આદિવાસીઓ માટે લડતો રહીશ. કોઈએ હનુમાનને જૈન તો કોઈએ દલિત ગણાવી દીધા હતા અને હવે હનુમાનજી આદિવાસી બન્યાં છે. હવે હનુમાનજી ખુદ ક્ફ્યુઝ હશે કે આખરે હું છું કોણ ?