નવસારી: ગતરોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદ કરવા અને નાગરિકોના વાણી સ્વાતતંત્ર્ય ને રોકવા નવસારી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદ કરવા અને નાગરિકોના વાણી સ્વાતતંત્ર્ય ને રોકવા માટે ખોટી રીતે દાખલ કરતી એફ.આઈ.આર. (પોલીસ ફરિયાદો) ને રોકવા બાબતે નવસારી AAP દ્વારા નવસારી કલેક્ટર કચેરી ખાતે એગ્રસીવ રજુવાત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ પંકજ એલ પટેલ જણાવે છે કે પોલીસ બંધારણે બક્ષેલા, નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારો ઉપર તરાપ મારતી ફરિયાદો તાત્કાલિક નોંધે છે. એક તરફ વેરાવળના સુપ્રતિષ્ટિત ડો. ચગના આપઘાતના બનાવ માટે જવાબદારો સામે પગલાં ભરવા માટે એમના દીકરાને હાઇકોર્ટ સુધી જવું પડે છે. બીજી તરફ, રિપોર્ટિંગ કરવા બદલ પત્રકાર પર કેસ દાખલ થાય છે, એક ટ્વિટ કરવા બદલ જવાબદાર રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ ઉપર વિવિધ લગાવીને દાખલ કરીને કેસ દાખલ કરવામાં આવે છે. રાજ્યના નાગરિકોમાં આવી ઘટનાઓથી ભયનો માહોલ ફેલાયો છે. નાગરિક પોતાની વેદના, લાગણી, અભિપ્રાય વ્યક્ત કરતા ડર અનુભવે છે.નાગરિકોમાં ઉભી થતી આ ડરની લાગણી તંદુરસ્ત લોકશાહી માટે ઘાતક છે. અમારી માંગણી છે કે  “આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી ઉપર ટ્વિટને આધાર બનાવી સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી કરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે.‘‘