ધરમપુર: હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામમાં શ્રી સંપ્રદાય ભક્તિ ભારોટ સત્સંગ કાર્યક્રમમાં યજમાન તરીકે BVK ગ્રુપના ચેરમેન અને નવસારીના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ હાજરી આપી હતી.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામે ડાંગ જિલ્લા સેવા સમિતિ દ્વારા શ્રી સંપ્રદાય ભક્તિ ભારોટ સત્સંગ યોજાયો હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામમાં મુખ્ય યજમાન તરીકે BVK ગ્રુપના ચેરમેન અને નવસારીના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ હાજરી આપી હતી. જેમાં વાંસદા ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ વાં શાસક પક્ષના નેતા બીપીન માહલા લીંજર બાગાયત મંડળીના ચેરમેન ધર્મેશ ભીમસેન રાહુલભાઈ પટેલ હનમત માળ ગામના સરપંચ શ્રી વિજયભાઈ માહલા અને વલસાડ જિલ્લાના માજી બાંધકામ સમિતિના ચેરમેન ઝીણાભાઈ પવાર અને હજારોની સંખ્યામાં પધારેલા ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો અને વડીલો હાજર રહ્યા હતા

ડો. વિશાલ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે આજે ધર્મના લીધે આપણા સમાજમાં ઘણું પરિવર્તન આવ્યું છે એમાં ખાસ કરીને આપણા સમાજમાં મોટી સંખ્યામાં વ્યસન હતો એ દૂર થયું છે સમાજમાં સુધારો અને શિક્ષણનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે એના લીધે જ આપણો સમાજ શિક્ષિત થયો છે વિશેષમાં કહ્યું હતું કે હનમતમાળ ગામના વિદ્યાર્થીઓને જે બસ સ્ટેન્ડ ના હોવાને કારણે મુશ્કેલી પડી રહી છે એ ટૂંક જ સમયમાં BVK ગ્રુપ તરફથી અને સરકારને જાણકારી બસ સ્ટેન્ડ બનાવી આપવાની ડો વિશાલ પટેલે ખાતરી આપી હતી.