ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામના શિંગળવેરી ફળિયાના પ્રિતમ કુમાર પટેલ નામના યુવાન વાપી કંપનીમાં કામ કરવા જતા ભીલાડ ખાતે રેલ્વે સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક થામલા સાથે હજરત નિઝામુદ્દીન બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાતા અકસ્માતમાં મૃત્યુ પામ્યાની ઘટના સામે આવી છે.

Decision News સાથે વાત કરતાં ગામના જ જીતેન્દ્ર કુમાર પટેલ જણાવે છે કે અમારા માંડવખડક ગામના શિંગળવેરી ફળિયાના પ્રિતમ કુમાર અર્જુનભાઈ પટેલ નામના યુવાન જે વાપી ખાતે એક કંપનીમાં નોકરી કરે છે જે ગતરોજ નોકરી માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે વાપી તાલુકાના ભીલાડ ખાતે રેલ્વે સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક થામલા સાથે હજરત નિઝામુદ્દીન બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાતા અકસ્માતમાં મૃત્યુ પાયા હતા.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનું PM ઉમરગામ આરોગ્ય કેન્દ્રમાં કરાવ્યા બાદ યુવાનનો મૃત દેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગતરોજ પરિવાર દ્વારા યુવાનની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.  હાલમાં રેલ્વે પોલીસની આ અકસ્માતને લઈને રિસર્ચ કામગીરી ચાલુ છે.