ગુજરાત: થોડા દિવસ પહેલા ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં જે હાલમાં સુપર સ્પેશ્યાલીટી જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવાના અને સેંકડો લોકોને તેમાં સેવા-સુશ્રષા મળી હોવાના સરકારી પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે તેની પોલ ખુબ રાજ્યના આરોગ્ય મંત્રી પોતે જ પોતાના પથારી નિદાન માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને ખોલી નાખી હોવાની ઘટના બહાર સામે આવી છે.
મીડિયા રીપોર્ટ અનુસાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પથારીનો દુખાવો ઉપાડતા તેમને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પીટલના કેમ્પસની પ્રતિષ્ઠિત કીડની હોસ્પિટલમાં સારવાર ન લેતા ખાનગી મલ્ટી સ્પેશ્યાલીટી કે.ડી હોસ્પિટલમાં દાખલ થઇ કરાવી હતી આમ જો ગુજરાતના આરોગ્ય મંત્રીને જ સરકારી હોસ્પિટલોની સુવિધાઓ હોવાનો વિશ્વાસ ન હોય અને સામાન્ય જનતાને સરકારી હોસ્પિટલોમાં સારવાર કરવાનું કહેવામાં આવે છે. લાગે છે જાણે ગુજરાતમાં આરોગ્ય ખાતામાં બધું રામ ભરોશે ચાલે છે.
આરોગ્ય મંત્રી સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલમાં પોતાના કાર્યાલયમાં સોમવારે જોવા ન મળતાં તેમણે સર્જરી કરાવ્યાની વિગતો બહાર આવી હતી ગત સપ્તાહના શુક્રવારે તેમના કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી મુજબ દુ: ખાવો ઉપાડતા કે ડી હોસ્પિટલમાં થયેલ ઓપરેશનમાં 15 મીલીમીટરની પથરી કાઢવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

