વડગામ: ગતરોજ જીગ્નેશ મેવાણીએ વડગામ વિધાનસભાના પડતર કામોને લઈને ગતરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું અને પોતાની ફરજ નિભાવવાની શરૂવાત કરતા હોય તેમ ચુંટણી થયાના એક દિવસ પછી તરત જ વડગામની જનતા માટે કામગીરી ઉપાડી લીધી છે.
આવો જોઈએ વિડીયોમાં તેમનું શું કહેવું છે..
Decision Newsને જીગ્નેશ મેવાણીએ કરેલા ટ્વીટ પરથી મળેલી માહિતી મુજબ ગતરોજ ૪:૦૦ કલાકે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઘણાં લાંબા સમયથી પડતર રહેલા વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવાના કામને લઈને આવેદનપત્ર આપ્યું હતું.

