ધરમપુરના અંતરિયાળ બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા હનામતમાળ ગામના શિવ શોપિંગ સેન્ટર આંબોસી ચોકડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યોકરો દ્વારા પદયાત્રા અને ધરમપુર વિધાનસભા 2022ની ચુંટણીના પ્રચાર પ્રસાર અર્થે સામન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં ધરમપુર ૧૭૮ વિધાનસભા બેઠકના, આમઆદમી પાર્ટીના ઉમેદવાર, શ્રી કમલેશભાઈ પટેલ એ સામન્ય સભા મા આદિવાસી સમાજના માટે સતત અઢી ત્રણ દાયકા થી જે કામ કરતા આવ્યા છે તેની થોડી વાત કરી,અને વિશેષ માં તેમને કહ્યું કે મે પાર્ટી ના સીટ માટે નઈ, પરંતું આ પાર્ટીએ મને મારા સમાજ પ્રત્યે ની નિઃસ્વાર્થ ભાવે કામ કરવાનો ઉત્સાહ જોઈ સીટ આપી છે. જેનો મે સ્વીકાર કર્યો છે. માટે હું જે કઈ પણ કરીશ તે મારા સામજના હિત માટે કરીશ. હું આજ સુધી સમાજ માટે લડતો આવ્યો છું, લડુ છું ,અને લડતો રહિશ. અને જ્યાં સુધી હું રહીશ, ત્યાં સુધી મારા સમાજ નો આવાજ બનીને રહિશ . મારા આ સમાજના અવાજને વધુ મજબૂત બનાવવા માટે મને જે એક મોકો મળ્યો છે એ મે લીધો છે. જો હું સમાજ માટે હવે નહી મોકો લઉ, તો જે આગળ સંઘર્ષમય દિવાસો હતા તેવા જ દિવસો કાઢવા પડશે, અને સમાજના પ્રશ્નો માટે કઠીન ફરી સંઘર્ષ કરવો પડશે. તો જે આપણા સમાજ માટે જે વિતેલા દિવસો હતા તે ફરી ના આવે તેના માટે “હું આ સિસ્ટમને બદલવા એક ઉમેદવાર તરીકે ઊભો થયો છું”. મારા સમાજને અન્યાય સામે ન્યાય આપવવા માટે, અને મારી લઢાઈ આ ચાલી રહેલી સિસ્ટમ સાથે છે. અને મારે આ સમાજમાં પરિવર્તન લાવી આ સીસ્ટમને બદલવી છે. જેના માટે હું એક મારા સમાજના અવાજ બની ઉમેદવાર તરીકે ઊભો રહ્યો છુ. આ પ્રકારે ધરમપુર ૧૭૮ વિધાનસભા આમઆદમી પાર્ટીના ઉમેદવાર એ સભાને સંભોદી હતી .
જેમાં ધરમપુર ૧૭૮ વિધાનસભા બેઠકના આમઆદમી પાર્ટીના ઉમેદવાર શ્રી કમલેશભાઈ પટેલ , આમઆદમી પાર્ટીના સંગઠન મંત્રી મહેશભાઈ પટેલ, આમઆદમી પાર્ટીના યુવા કાર્યકર રાહુલભાઇ પટેલ, જમસી માહલા, ડો.પ્રવિણ મોર્યા, દિનેશભાઈ સરપંચ (નડગધરી), બારકુભાઈ ડેમ હટાવો સંગઠનના પ્રમુખ, આમ ઘણા આમઆદમી પાર્ટીનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

