ગાંધીનગર: ગુજરાતમાં આંગણવાડીના કર્મચારીઓની માંગણી પુરી કરતા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આંગણવાડીની તેડાગર બહેનોના પગારમાં 1500 તો આંગણવાળીની બહેનોના પગારમાં 2000નો વધારો કર્યો છે. આ ઉપરાંત 1800 મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાનો પણ નિર્ણય લીધો છે.

હવે પગાર વધારા સાથે હવે આંગણવાડી કાર્યકરને રૂ. 10 હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.5500 વેતન અપાશે. આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 વેતન અપાતું હતું તેમાં રૂ. 2200નો વધારો કરીને રૂ 10,000 ચૂકવાશે, એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ 3950 વેતન ચૂકવાતું હતું. એમાં રૂ. 1550નો વધારો થતાં હવે તેડાગરને 5500 પગાર ચૂકવવામાં આવશે.

 

 

રાજ્ય સરકાર આ માટે રૂપિયા 230.52 કરોડનો ખર્ચ કરશે, આ નિર્ણયને પરિણામે 51,229 આંગણવાડી કાર્યકર અને 51,29 આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનોને લાભ થશે.