ધરમપુર: યુવાનો આપઘાતની ઘટનાઓ વધીરહી છે ત્યારે  ધરમપુરના તિસકરી ગામમાં રહેતા 22 વર્ષના મંથન ભોયાએ બપોરે 1 વાગ્યાની આસપાસ વલસાડ તાલુકાના ચિંચાઇ ગામમાં આવેલી પારનદીના પુલ પરથી નીચે મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ મંથન ભોયા ધરમપુરના તિસ્કરી ગામમાં રહેતો હતો અને te દમણ ખાતે નોકરી કરતો હતો દરરોજની જેમ te ઘરથી પોતાનું મોપેડ લઈને નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે તેને રસ્તામાં વલસાડ ચિંચાઇ ગામમાંથી વહેતી પારનદીના પુલ પરથી વહેતા પાણીના પ્રવાહમાં કૂદકો માર્યો અને આત્મહત્યા કરી લીધી હતી આ યુવાને કેમ આત્મહત્યાનું પગલું ભર્યું તેની સત્ય હજુ બહાર આવ્યું નથી.

ચિંચાઈ ગામના સરપંચ ને જાણ તથા તેઓ પણ ઘટના સ્થળ પર પોહ્ચ્યાં હતા. નદીમાં પાણી પ્રવાહ મૃતદેહને સ્થાનિક લોકોએ નાવડીથી ભારે શોધખોળ કરી હતી અને ગઈકાલે બપોરના સમયમાં યુવકનો મૃતદેહ સ્થાનિક યુવા તરવૈયાઓએ હોડીવાળાઓએ શોધી કાઢયો હતો. હાલમાં આ ઘટના પાછળના સત્યની શોધખોળ ચાલુ છે.