હાલમાં જ બે દિવસ પહેલા રવિવારના રોજ દેશભરમાં યોજાયેલી NEETની પરીક્ષામાં મોટું કૌભાંડ બહાર આવતા તેની તપાસ CBIને સોપવામાં આવ્યો હતો CBIએ એવો ચોકાવનારો ખુલાસો કર્યો છે કે ચોંકાવનારો ધડાકો કર્યો છે કે નીટની એક-એક સીટ 20 લાખ રુપિયામાં વેચાઈ હતી.
VTVના અહેવાલ અનુસાર CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ફેલાયેલી આ છેતરપિંડીનું ઓપરેશન બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ “મુન્નાભાઈ એમબીબીએસ”માં જે રીતે બતાવવામાં આવ્યું હતું તે રીતે કામ કર્યું હતું. CBIની અત્યાર સુધીની તપાસમાં એવુ સામે આવ્યું છે કે પેપર સોલ્વરે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લીધી હતી અને તેના બદલામાં ઉત્તરવહીઓ લખી હતી. એક-એક સીટ 20 લાખ રુપિયામાં વેચાઈ હતી.
હાલમાં CBIએ આ કેસમાં દિલ્હીથી નીટનું પ્રશ્નપત્ર ભરનારા આઠમાંથી છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર સુશીલ રંજનની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે સોલ્વર્સની નિમણૂક કરતો હતો અને તેને પેમેન્ટ મળ્યું હતું.
કેવી રીતે કર્યું કૌભાંડ..
નીટમાં કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય તે માટે પૂરતી કાળજી લેવામાં આવી હતી અને ત્યાં સુધી કે પરીક્ષા ખંડમાં પર્સ, હેન્ડબેગ, બેલ્ટ, કેપ, ઝવેરાત, પગરખાં અને ઊંચી એડીવાળા પગરખાં પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. ઉમેદવારોને કોઈ પણ સ્ટેશનરી લઈ જવાની પણ મંજૂરી નહોતી. તેમ છતાં પણ આરોપીઓ મોર્ફ્ડ ફોટાનો ઉપયોગ કરીને નીટ આઈડી કાર્ડમાં ફેરફાર કરવામાં સફળ રહ્યાં અને આ રીતે તેમણે નકલી આઈડીને આધારે પરીક્ષા હોલમાં જઈ શક્યા અને વિદ્યાર્થીઓને બદલે પેપરના સાચા જવાબો લખીને આવતા રહ્યાં હતા. આરોપીઓએ ઉમેદવારોના યુઝર આઈડી અને પાસવર્ડ્સ પણ એકત્રિત કર્યા હતા અને ઇચ્છિત પરીક્ષા કેન્દ્ર મેળવવા માટે જરૂરી ફેરફારો કર્યા હતા.

