પાવીજેતપુર: હાલમાં જ આદિવાસી સમાજના આગેવાન શેખર રાઠવાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી પાવી જેતપુર યુવા એકમ દ્વારા પાવીજેતપુરના ડુંગરવાંટ ખાતે ભારતીય જન સંઘના સ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો.

Decision Newsને મળેલી માહિતી મુજબ પાવીજેતપુર વિસ્તારના ડુંગરવાંટ ગામના વતની આદિવાસી સમાજના આગેવાન શેખર રાઠવાની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો.શેખર રાઠવા આ વિસ્તારના લોકોના પ્રશ્નો માટે કામ કરતા આવ્યા છે.અને તેઓ હંમેશા પ્રજાની સેવા કરી રહ્યા છે.આદિવાસીઓને અનેકવાર લોહીની જરૂર પડે છે.ત્યારે કોઈને લોહી ની તકલીફ ન પડે તેના માટે આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેટ કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ હિરેનભાઈ પંડિત, પાવીજેતપુર એકમના યુવા પ્રમુખ કિરણભાઈ રાઠવા, મહામંત્રી કિરણભાઈ, જેતપુરપાવી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાબુભાઈ રાઠવા, મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા, જિલ્લાના પૂર્વ પ્રમુખ જશુભાઇ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ રાઠવા, કારોબારી ચેરમેન ઉમેશભાઈ રાઠવા, ગોવિંદભાઈ રાઠવા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કરતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.