ડાંગ: જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં રાણી ફળીયાનો આધેડનું નશાની હાલતમાં ઝારખંડેસ્વર મંદિર નજીકની ખીણમાં અકસ્માતે પડી જવાથી લગભગ એકાદ મહિના પહેલા મોત નિપજ્યુ હોવાની ઘટના આજે લાશ હાડ પિંજરની હાલતમાં મળતા બહાર આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં રાણી ફળીયામાં રહેતા 49 વર્ષીય આધેડ નામે શૈલેશભાઈ બલુભાઈ દેશમુખ જે દારૂ પીવાની ટેવવાળા હતા.જે પોતાના ઘરેથી ત્રણેક મહિના અગાઉ ક્યાંક નીકળી ગયા હતા.જે આધેડની લાશ ગતરોજ આહવા નજીકનાં ઝારખંડેસ્વર મંદિરની પાછળ આવેલ દુખ્યાનાં દરા નામની ખીણમાં ડી કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ આધેડ નશાની હાલતમાં અકસ્માતે ખીણમાં પડી જઈ શરીરે ગંભીર ઈજાઓ પોહચવાથી મરણ જઈ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા આહવા પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પી.એમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.