ચીખલી: ગતરોજ ચીખલીના સિયાદા, પ્રધાનપાડા, અગાસી એમ ત્રણ ગ્રામ પંચાયતના નવા મકાનની ખાતમુહૂર્તવિધિ કરવામાં આવ્યું હતું અને નવી અમલમાં પ્રધાનપાડા ગ્રામ પંચાયતના નવા મકાનનો પ્રારંભ કરતા ગ્રામજનોના ચેહરાઓ પર ખુશી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે સિયાદા, પ્રધાનપાડા અને અગાસી એમ ત્રણ જેટલી ગ્રામ પંચાયતોમાં નવા મકાનનો પ્રારંભ જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઇ પાડવીના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના મહામંત્રી દિનેશભાઇ મહાકાળ, તાલુકા સભ્ય જગનભાઈ દેશમુખ, અશ્વિનભાઈ દેસાઈ ઉપરાંત સ્થાનિક આગેવાનો બળવંતભાઈ, રાકેશભાઈ, અગાસીના સરપંચ રેખાબેન સહિતની ઉપસ્થિતિમાં શ્રીફળ ચડાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઈ પાડવીએ જણાવ્યું હતું કે સિયાદા ગામનું વિભાજન કરી પ્રધાનપાડા દ્વારા નવી ગ્રામ પંચાયત અમલમાં લાવવાનું ભૌગોલિક રીતે પણ અનિવાર્ય હતું આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માગણી હતી. જેને ધ્યાનમાં લઇ સ્થાનિક લોકોની સુખાકારી માટે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અંગત રસ દાખવતા ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે પ્રધાનપાડાની નવી ગ્રામ પંચાયત અમલમાં આવી છે. આને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા મંત્રી નરેશભાઈ પટેલનો આભાર માન્યો હતો.

