ધરમપુર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતાં ગોટાળાઓ & પરીક્ષા પહેલાજ પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે તેમની ગાંધીનગર પોલીસ દ્વારા થયેલી ધરપકડમાંથી મુકત કરવા ધરમપુર મામલતદાર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિધાર્થીઓનું કહેવું છે કે યુવરાજસિંહે ઉઠાવેલા અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્ક થી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. સેંકડો વિદ્યાર્થીના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતાં રહ્યાં છે. ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલા ૩૦૭ & ૩૩૨ જેવી કલમો હટાવીને એમની ધરપકડથી મૂકતા કરવા જોઈએ… લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર. પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપશે.

હાલમાં ધરમપુર તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા ધરમપુર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું..