વાંસદા: આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વાંચન માટે એક શાંતિપ્રિય માહોલ મળી રહે એવા હેતુસર એક નવા અભિગમ સાથે વાંસદાના લિમઝર ગામમાં વન વિભાગની ઓફીસ સામે જ્ઞાન સરિતા વાંચનાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો
આ સમારંભ પ્રસંગે પ્રમુખ તરીકે દીપકભાઈ ડી ગરાસીયા( નિવૃત જજ,મેમ્બર ઓફ ટ્રીબ્યુનલ ઇન્કમટેક્ષ) તેમજ મુખ્ય મહેમાન શ્રી સંદીપ આર. મહાકાલ, નિલેશભાઈ એન પટેલ ડૉ. રાજેશ એલ પટેલ શ્રી પી.જી વસાવા તથા ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોએ આજના સમયમાં પોતાના લક્ષ્યને કેવી અસાધારણ મહેનતથી પામી શકાય છે અને એના માટે વાંચનની જરૂરિયાત કેટલી છે વગેરે વિષયો પર યુવાનોને સમજ આપી હતી અને ગ્રામજનોને ગામમાં વાંચનાલય શરુ કરવા માટે બિરદાવ્યા પણ હતા. જુઓ વિડીયોમાં…
આ પ્રસંગે જ્ઞાન સરિતા વાંચનાલય સમિતિના પ્રમુખ મુકેશભાઈ દ્વારા વાંચનાલય શરુ કરવા પાછળના ઉદ્દેશથી માહિતગાર કર્યા હતા અને ગ્રામજનોના સહયોગથી આ વાંચનાલયનું સફળતાપૂર્વક આયોજન થઇ શક્યું એના માટે ગ્રામજનોનો આભાર પણ માન્યો હતો.

