વર્તમાન સમયમાં સરકારે ESIC ની દેખરેખ હેઠળ અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના (ABVKY ) શરૂ કરી છે જેમાં સરકાર એવા લોકોને બેરોજગારી ભથ્થું આપી રહી છે જેમણે કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવી છે. આ યોજના જૂન સુધી લંબાવવામાં આવી છે.

આ યોજના હેઠળ સરકાર એવા લોકોને બેરોજગારી ભથ્થું આપશે જેમણે કોરોના મહામારીમાં નોકરી ગુમાવી છે . એક અંદાજ મુજબ આ યોજનામાં 40 લાખ લોકોને નોકરી મળશે. અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના ESIC તરફથી વીમાધારક કર્મચારીઓને તેમની બેરોજગારી દરમિયાન રોકડ વળતરના રૂપમાં રાહત પૂરી પાડે છે. હાલમાં આ યોજના હેઠળ, વીમાધારક કર્મચારી જ્યારે બેરોજગાર બને છે ત્યારે તેને મહત્તમ 90 દિવસની અવધિ માટે તેની સરેરાશ કમાણીનો 50 ટકા ચૂકવવામાં આવે છે. સરકાર દ્વારા આપવામાં આવેલી આ ચુકવણીનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ દર મહિને 30,000 કમાય છે, તો તેની 90 દિવસની સરેરાશ કમાણી 90 હજારના 50% એટલે કે લગભગ 45 હજાર રૂપિયા તેને 2 વર્ષમાં આપવામાં આવશે.

સરકારની અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે અમુક શરતો નક્કી કરી છે જેમ કે આ યોજનાનો લાભ ફક્ત તે જ વ્યક્તિઓને મળશે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને તેમના પૈસા પીએફ અથવા ESICમાં કાપવામાં આવ્યા છે. જો આવા લોકો કોરોના સમયગાળા દરમિયાન તેમની નોકરી ગુમાવે છે, તો કેન્દ્ર સરકાર તેમને અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજના હેઠળ આર્થિક મદદ કરશે.

આ રીતે મેળવી શકો છો યોજનાનો લાભ.. સૌ પ્રથમ તમારે ESIC વેબસાઇટ www.esic.nic.in પર જવું પડશે બેરોજગારી ભથ્થું મેળવવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરો અને તેને યોગ્ય રીતે ભરો ફોર્મ ભર્યા પછી તેને ESIC ની નજીકની શાખામાં સબમિટ કરો ફોર્મ સાથે નોટરી એફિડેવિટ જોડવાનું રહેશે જેમાં 20 રૂપિયાનું સ્ટેમ્પ પેપર જોડવાનું રહેશે. ફોર્મમાં AB-1 થી AB-4 ફોર્મ એકસાથે સબમિટ કરવાના રહેશે.