ગુજરાત: વર્તમાન સમયમાં ખેતરોમાં બેફામ 6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ તથા 182200 હેક્ટરમાં 407060 ટન તમાકુ ઉત્પન્ન કરીને તથા બિડી અને સિગાટેર, ગુટખાના કારણે કેન્સર વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે 104 જંતુનાશકોની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે પિટિશન દાખલ કરનારા જે.એસ. સંધુએ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. સરકારે માત્ર 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી એમ કહી શકાય કે આ સમિતિએ પણ માત્ર 18 જ માન્ય રાખ્યા હતા. ઘણા ખેડૂતો કહે છે કે બધા જંતુનાશકોનો વિકલ્પ હિંગ, તમાકુ, કિડામારી, ગૌ મૂત્ર છે.

હાલમાં ગુજરાતમાં કૃષિમાં જંતુનાશકો છાંટવામા આવતાં હોવાથી રોજ 100 લોકોના સીધા કે આડકતરી રીતે મોત કેન્સરથી થઈ રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં કેન્સરના 2 લાખ દર્દી શોધાયા છે. 2018માં 66 હજાર દર્દી કેન્સરના હતા. 2020માં 70 હજાર થયા છે. 2024માં ગુજરાતમાં 1 લાખ દર્દી કેન્સરના હશે. તેના માટે ખેતરોમાં પાક પર આવતાં જંતુઓના નાશ, ફુગના નાશ માટે અને ખડના નાશ વરાતી 104 દવાઓ જવાબદાર છે.

એક રીસર્ચ અનુસાર અત્યારે ડાયાબીટીશ, હ્રદયરોગમાં ભારતમાં ગુજરાતમાં સૌથી વધું દર્દી હોવાનું જોવાતું હતું પણ હવે ભારતમાં પંજાબને પછાડીને ગુજરાત કેન્સરમાં નંબર 1 બની ગયું છે  જેમાં સ્તન કેન્સર 30 ટકા અને મોઢાના 36 ટકા દર્દી છે. જે ખેતરોમાં છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ અને તમાકુના ભોગે છે.