ઉનાઈ: દર વર્ષે નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકો 14મી જાન્યુઆરીના મકરસંક્રાંતિ તહેવારના દિવસે ભરાતા ઉનાઈના લોકમેળાની આતુરતાથી રાહ જોવાતી હોય છે પરંતુ આ વખતે પણ કોરોનાના ગ્રહણ લાગ્યું અને આ વર્ષે નવસારી જિલ્લાનો મોટો ગણાતો લોકમેળો બંધ રહેશેની વાતોથી લોકોમાં અને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

મકરસંક્રાંતિનો મેળો શરૂ થાય તે પહેલાં જ ઉનાઈના રસ્તાઓ રોશનીથી ઝગગમી ઉઠે છે. આ મેળામાં રાઈડ્સ, કપડાં વાસણ રમત ગમતની વિવિધ રાઈડ્સ વગેરે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે પરંતુ આ વખતે મકરસંક્રાંતિના લોકમેળો નહીં યોજાવાનો હોવાથી નાના ધંધાર્ થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. મેળા થકી લોકોને સારી એવી આવક પણ થતી હોય છે. યાત્રાધામ ઉનાઈ માતાજીના પટાંગણમાં 14મી મકરસંક્ રાંતિના તહેવારના 3 દિવસ દરમિયાન પરંપરાગત મકરસંક્રાંતિના મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે તે શક્ય નહીં બને. જુઓ વિડીયોમાં…

હાલમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેથી સરકારની ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં 400 માણસથી વધારે ભેગા થવાની મનાઈ છે અને મેળામાં હાજરો માણસની જનમેદની હોવાથી મેળો મોકૂફ રહેશે. આમ છતાં ગાઈડલાઈન પ્રમાણે મકરસંકાંત્રીના દિવસે માતાજીના દર્શન કરી શકાશે. – પ્રાંત અધિકારી વાંસદા

કોરોનાને કારણે ઐતિહાસિક ઉનાઈ માતાજીના યાત્રાધામમાં વર્ષોથી થતો મેળો સતત બીજા વર્ષે પણ મોકૂફ રહેવાના કારણે ભાવિક ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. મંદિર પાસેના દુકાનદારો તેમજ પંચાયતને મેળામાં થતી આવકમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. જેથી દુકાનદારોમાં નિરાશા વ્યાપી ગઈ છે.- ઉનાઈ દુકાનદાર