વલસાડ: કપરાડા અને ધરમપુર તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો સન્માન સમારંભ એન.આર.રાઉત હાઇસ્કુલ નાનાપોંઢા ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ, કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જે સરપંચો જીત્યા છે એને માન આપવા અને જે હારી ગયા છે તેમને પણ માન સન્માન આપવું જોઈએ. આપણી સાથે જે કોઈ ચૂંટણીમાં સભ્યો ચૂંટાયા છે તેમને સાથે લઈ નમ્ર બનીને એક થઈએ અને ગામના વિકાસમાં સહભાગી બનીએ એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. સમગ્ર વલસાડ જિલ્લા સહિત કપરાડા તાલુકામાં અનેકવિધ વિકાસકાર્યો થયા છે અને આવનારા ભવિષ્યમાં પણ વિકાસના કામો અવિરત થતા જ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓનું મેનેજમેન્ટ ખુબજ સારું છે માત્ર તેમને તક આપવાની જરૂર છે ગામના વિકાસકાર્યોના કામો માટેના ચેક ઉપર સહી કરે તેની જવાબદારી વધે છે ગામમાં ભાઈચારાના સંબંધો જાળવવા માટે ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીને પણ સરખું મહત્વ આપવા અનુરોધ કરી ગામના વિકાસમાં સૌને સાથે રાખીને કામગીરી કરવા જણાવ્યું હતું. કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ નવનિયુક્ત સરપંચો અને સભ્યોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામનો પ્રથમ નાગરિક એટલે સરપંચ પંચાયતી રાજમાં ગામનો વિકાસ કેવી રીતે કરવો તેની બધી જવાબદારી સરપંચની બને છે ગામના નાનામાં નાના વ્યક્તિને સરકારની ૧૮ જેટલી યોજનાઓની જાણકારી આપી તેનો જરૂરિયાત હોય તેવા સાચા વ્યક્તિને મળે તેનું સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું

સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજના દાખલ કરી બેંકમાં ખાતું ખોલાવી તેમને મળતી સરકારી સહાય તેમના ખાતામાં સીધી જમા કરાવી છે ઉજ્જવલા યોજના થકી ગેસના કનેક્શન આપી ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે અટલ બિહારી બાજપેયીના જન્મ દિન અવસરે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સુશાસન દિવસની ઉજવણી કરી અનેક વિકાસકાર્યો ભેટ કર્યા હતા.

આ પ્રસંગે વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વિજેતા સરપંચો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા વલસાડ જિલ્લાના ભાજપ પ્રભારી શ્રીમતી શીતલબેન સોનીએ જણાવ્યું હતું કે ગામના વિકાસમાં સૌથી મોટી જવાબદારી સરપંચની છે છેવાડે રહેતા વ્યક્તિઓ માટે સરકાર એ યોજનાઓ બનાવી છે. કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિતે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલએ આભારવિધિ આટોપી હતી આ કાર્યક્રમમાં સાંસદ ડો.કે.સી.પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્કાબેન શાહ ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ગજરાત ભાજપ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સંગઠન પ્રમુખ સહિત કાર્યકર્તાઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, ધરમપુર અને કપરાડા તાલુકાના વિવિધ ગામોના સરપંચો તેમજ સભ્યો હાજર રહયા હતા.